#DGprize
અપરાજેય
-------------
કુદરત વિરુદ્ધ માનવીનો સંઘર્ષ...
અર્થાત ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’!
-------------
'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યક પ્રવૃત્તિ કરતી સંસ્થા 'સાહિત્ય સેતુ - રાજકોટ' દ્વારા જૂન-૨૦૧૯માં 'મારું પ્રિય પુસ્તક' વિષય ઉપર સ્પર્ધા યોજવામાં આવી હતી, જે અંતર્ગત મને 'પ્રોત્સાહક વિજેતા' તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો.
અપરાજેય
-------------
કુદરત વિરુદ્ધ માનવીનો સંઘર્ષ...
અર્થાત ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’!
-------------
'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યક પ્રવૃત્તિ કરતી સંસ્થા 'સાહિત્ય સેતુ - રાજકોટ' દ્વારા જૂન-૨૦૧૯માં 'મારું પ્રિય પુસ્તક' વિષય ઉપર સ્પર્ધા યોજવામાં આવી હતી, જે અંતર્ગત મને 'પ્રોત્સાહક વિજેતા' તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા કવિ-નાટ્યકાર-ઉધઘોષક ડો. શૈલેશ ટેવાણીએ સેવા આપી હતી.
સ્પર્ધામાં મોકલેલ અને પુસ્કાર પ્રાપ્ત કરેલ મારી રચના 'અપરાજેય' (પુસ્તક પરિચય) અહીં પ્રસ્તુત કરું છું. વાંચીને યોગ્ય પ્રતિભાવો આપશો.
◆ અપરાજેય ◆
---------------------
અર્નેસ્ટ હેમિંગ્વે... નોબલ પુરસ્કાર...
અને કુદરત વિરુદ્ધ માનવીનો સંઘર્ષ...
અર્થાત ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’!
૧૯૫૧માં ક્યુબામાં લખાયેલી અને ૧૯૫૨માં પ્રકાશિત થયેલી લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ અમેરિકન સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેના જીવનકાળ દરમ્યાનની આખરી મજબૂત કૃતિ તરીકે લેખાય છે. ખૂબ જ ઓછાં પાત્રો ધરાવતી આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરનો સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ ૧૯૯૧માં શ્રી રવીન્દ્ર ઠાકોરે ‘અપરાજેય’ નામે કર્યો છે.
આ પુસ્તકમાં સંઘર્ષ છે, દ્રઢતા છે, જીજીવિષા છે...
એટલે એ મારું ગમતું પુસ્તક!
આ નવલ એક વૃદ્ધ-અનુભવી માછીમાર તથા મહાકાય માછલી મર્લિન વચ્ચેના સંઘર્ષની ગાથા છે. અશક્ત છતાં દ્રઢ મનોબળ ધરાવતા મુખ્ય પાત્ર સેન્તિઆગોએ સતત ચોર્યાસી દિવસથી એક પણ માછલી જાળમાં ફસાવી હોતી નથી. પરંતુ પંચ્યાસીમા દિવસનો સૂર્ય એની જિંદગી હંમેશ માટે બદલી નાખવા માટે ઊગે છે. એક અસાધારણ અને વિશાળકાય મર્લિન માછલી સેન્તિઆગોના કાંટામાં ફસાય છે. માછીમાર તરીકેની પોતાની નિયતિ જેટલી વાસ્તવિક છે એટલી જ વાજબી એક કદાવર માછલીની નિયતિ પણ છે જ, એ સ્વીકારીને વૃદ્ધ સેન્તિઆગો મર્લિનની તાકાત, મહત્તા, અને તેની ઓળખની વફાદારીને વખાણતો સંઘર્ષ આદરે છે; કુદરત સામે બાથ ભીડવાનું જારી રાખે છે! એક જીવલેણ સંગ્રામ ખેલીને એ મર્લિનનો વધ કરે છે; એને પોતાની હોડી સાથે બાંધીને કિનારા તરફ પ્રયાણ કરે છે.
આમ છતાં, સેન્તિઆગોના થકવી નાખનારા પ્રયાસો એળે જાય છે. કારણ - હોડી કિનારે પહોંચે એ પહેલાં ભયાનક શાર્ક માછલીઓ જાળમાં બંધાયેલી મર્લિન ઉપર હુમલો કરે છે. સેન્તિઆગો શાર્ક સાથે પણ એકલે હાથે જીવસટોસટનું યુદ્ધ કરીને એમને મહાત કરે છે; વારાફરતી હણી નાખે છે. પરંતુ ત્યાં સુધીમાં અન્ય શાર્ક મૃત મર્લિનનું સંપૂર્ણ માંસ આરોગી ચૂકી હોય છે. આખરે સેન્તિઆગો હતોત્સાહ થઈને ખાલી હાથે બંદર ઉપર પાછો ફરે છે. એની હોડી સાથે બંધાયેલું રહી જાય છે મહાકાય મર્લિનનું માત્ર બિહામણું હાડપિંજર!
વાર્તામાં શબ્દચિત્ર થકી હેમિંગ્વે દર્શાવે છે કે વૃદ્ધ માછીમાર પોતાના ઘર સમાન સમુદ્રને ખૂબ ચાહે છે. એના મૂલ્યોની, એના જળચરોની અત્યંત કદર કરે છે. પરંતુ માછીમારીના પોતાના વ્યવસાયમાં એ શિકાર કરવાનો દ્રઢ નિશ્ચય કરીને રોજ સમુદ્રની સફરે નીકળે છે, એ પણ એટલું જ વાસ્તવિક છે. પોતાની પીડાદાયક એકલતા તેમજ નિરાશાજનક પરિસ્થિતિમાં પણ એ જિંદગીની દરેક સંઘર્ષમય પળને આનંદથી માણે છે; અસ્તિત્વ ટકાવી રાખવા માટે સદંતર ઝઝૂમે છે. સાથે સાથે એ મેનોલિન નામના એક યુવાન છોકરાને - જે એક માત્ર એની કદર કરતો હોય છે - યાદ કરતો રહે છે.
નિષ્ફળતાથી ઘેરાઈને ઊંડી હતાશામાં ગરક થયેલો સેન્તિઆગો ઘરે જઈને સૂઈ જાય છે. દરમ્યાન, અન્ય લોકો તેની હોડી સાથે બંધાયેલું વિશાળ હાડપિંજર જુએ છે અને દંગ રહી જાય છે! સેન્તિઆગો પાસે માછીમારી શીખતો યુવાન છોકરો મેનોલિન ફરી એક વાર એની સાથે જોડાવાની જીદ કરે છે. અંતે બંને સાથે મળીને માછીમારી કરવા જવા માટે સંમત થાય છે.
પોતાના કામ પ્રત્યે સમર્પણ, અડગતા તથા શારીરિક-માનસિક સ્થિતિસ્થાપકતા સાથે મનુષ્યના દ્રઢ સંકલ્પનું ઉત્તમ વિષય-વસ્તુ ધરાવતી આ લઘુનવલ એનાં પાત્રો તેમજ વાચકોને પરાજયમાંથી વિજય ભણી દોરી જાય છે. વૃદ્ધ સેન્તિઆગો હંમેશા એકલો એકલો મોટેથી બબડતો રહેતો હોય છે... ક્યારેક શિકાર કરેલી મર્લિનને જોઈને, ક્યારેક હુમલો કરી રહેલી શાર્કોને ઉદ્દેશીને, ક્યારેક ભગવાનને આડકતરો ઈશારો કરીને, તો ક્યારેક મનોમન...
આખી વાર્તામાં મહાકાય મર્લિન માછલી એ ગૌરવ, પ્રતિષ્ઠા, શૌર્ય, કોઠાસૂઝ અને ધૈર્યનું પ્રતીક બની રહે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફ ગતિ કરતી આ નોબલ પુરસ્કાર વિજેતા કૃતિ અર્નેસ્ટ હેમિંગ્વેનું અવિસ્મરણીય સર્જન મનાય છે!
-------------
ધર્મેશ ગાંધી 23.7.19
-------------
અર્નેસ્ટ હેમિંગ્વેને 'નોબલ' પુરસ્કાર અપાવનાર પુસ્તક ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ માટેના મારા આલેખે મને પણ નાનકડો પુરસ્કાર અપાવ્યો એ આનંદ!
આ માટે આયોજક શ્રી Anupam Doshi; તથા Sayaji Vaibhav Libraryનાં ખૂણેથી આ પુસ્તક શોધી આપનાર બહેનશ્રી Preeti Paresh Soniનો ખૂબ ખૂબ આભાર.
--------------
સ્પર્ધામાં મોકલેલ અને પુસ્કાર પ્રાપ્ત કરેલ મારી રચના 'અપરાજેય' (પુસ્તક પરિચય) અહીં પ્રસ્તુત કરું છું. વાંચીને યોગ્ય પ્રતિભાવો આપશો.
◆ અપરાજેય ◆
---------------------
અર્નેસ્ટ હેમિંગ્વે... નોબલ પુરસ્કાર...
અને કુદરત વિરુદ્ધ માનવીનો સંઘર્ષ...
અર્થાત ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’!
૧૯૫૧માં ક્યુબામાં લખાયેલી અને ૧૯૫૨માં પ્રકાશિત થયેલી લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ અમેરિકન સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેના જીવનકાળ દરમ્યાનની આખરી મજબૂત કૃતિ તરીકે લેખાય છે. ખૂબ જ ઓછાં પાત્રો ધરાવતી આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરનો સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ ૧૯૯૧માં શ્રી રવીન્દ્ર ઠાકોરે ‘અપરાજેય’ નામે કર્યો છે.
આ પુસ્તકમાં સંઘર્ષ છે, દ્રઢતા છે, જીજીવિષા છે...
એટલે એ મારું ગમતું પુસ્તક!
આ નવલ એક વૃદ્ધ-અનુભવી માછીમાર તથા મહાકાય માછલી મર્લિન વચ્ચેના સંઘર્ષની ગાથા છે. અશક્ત છતાં દ્રઢ મનોબળ ધરાવતા મુખ્ય પાત્ર સેન્તિઆગોએ સતત ચોર્યાસી દિવસથી એક પણ માછલી જાળમાં ફસાવી હોતી નથી. પરંતુ પંચ્યાસીમા દિવસનો સૂર્ય એની જિંદગી હંમેશ માટે બદલી નાખવા માટે ઊગે છે. એક અસાધારણ અને વિશાળકાય મર્લિન માછલી સેન્તિઆગોના કાંટામાં ફસાય છે. માછીમાર તરીકેની પોતાની નિયતિ જેટલી વાસ્તવિક છે એટલી જ વાજબી એક કદાવર માછલીની નિયતિ પણ છે જ, એ સ્વીકારીને વૃદ્ધ સેન્તિઆગો મર્લિનની તાકાત, મહત્તા, અને તેની ઓળખની વફાદારીને વખાણતો સંઘર્ષ આદરે છે; કુદરત સામે બાથ ભીડવાનું જારી રાખે છે! એક જીવલેણ સંગ્રામ ખેલીને એ મર્લિનનો વધ કરે છે; એને પોતાની હોડી સાથે બાંધીને કિનારા તરફ પ્રયાણ કરે છે.
આમ છતાં, સેન્તિઆગોના થકવી નાખનારા પ્રયાસો એળે જાય છે. કારણ - હોડી કિનારે પહોંચે એ પહેલાં ભયાનક શાર્ક માછલીઓ જાળમાં બંધાયેલી મર્લિન ઉપર હુમલો કરે છે. સેન્તિઆગો શાર્ક સાથે પણ એકલે હાથે જીવસટોસટનું યુદ્ધ કરીને એમને મહાત કરે છે; વારાફરતી હણી નાખે છે. પરંતુ ત્યાં સુધીમાં અન્ય શાર્ક મૃત મર્લિનનું સંપૂર્ણ માંસ આરોગી ચૂકી હોય છે. આખરે સેન્તિઆગો હતોત્સાહ થઈને ખાલી હાથે બંદર ઉપર પાછો ફરે છે. એની હોડી સાથે બંધાયેલું રહી જાય છે મહાકાય મર્લિનનું માત્ર બિહામણું હાડપિંજર!
વાર્તામાં શબ્દચિત્ર થકી હેમિંગ્વે દર્શાવે છે કે વૃદ્ધ માછીમાર પોતાના ઘર સમાન સમુદ્રને ખૂબ ચાહે છે. એના મૂલ્યોની, એના જળચરોની અત્યંત કદર કરે છે. પરંતુ માછીમારીના પોતાના વ્યવસાયમાં એ શિકાર કરવાનો દ્રઢ નિશ્ચય કરીને રોજ સમુદ્રની સફરે નીકળે છે, એ પણ એટલું જ વાસ્તવિક છે. પોતાની પીડાદાયક એકલતા તેમજ નિરાશાજનક પરિસ્થિતિમાં પણ એ જિંદગીની દરેક સંઘર્ષમય પળને આનંદથી માણે છે; અસ્તિત્વ ટકાવી રાખવા માટે સદંતર ઝઝૂમે છે. સાથે સાથે એ મેનોલિન નામના એક યુવાન છોકરાને - જે એક માત્ર એની કદર કરતો હોય છે - યાદ કરતો રહે છે.
નિષ્ફળતાથી ઘેરાઈને ઊંડી હતાશામાં ગરક થયેલો સેન્તિઆગો ઘરે જઈને સૂઈ જાય છે. દરમ્યાન, અન્ય લોકો તેની હોડી સાથે બંધાયેલું વિશાળ હાડપિંજર જુએ છે અને દંગ રહી જાય છે! સેન્તિઆગો પાસે માછીમારી શીખતો યુવાન છોકરો મેનોલિન ફરી એક વાર એની સાથે જોડાવાની જીદ કરે છે. અંતે બંને સાથે મળીને માછીમારી કરવા જવા માટે સંમત થાય છે.
પોતાના કામ પ્રત્યે સમર્પણ, અડગતા તથા શારીરિક-માનસિક સ્થિતિસ્થાપકતા સાથે મનુષ્યના દ્રઢ સંકલ્પનું ઉત્તમ વિષય-વસ્તુ ધરાવતી આ લઘુનવલ એનાં પાત્રો તેમજ વાચકોને પરાજયમાંથી વિજય ભણી દોરી જાય છે. વૃદ્ધ સેન્તિઆગો હંમેશા એકલો એકલો મોટેથી બબડતો રહેતો હોય છે... ક્યારેક શિકાર કરેલી મર્લિનને જોઈને, ક્યારેક હુમલો કરી રહેલી શાર્કોને ઉદ્દેશીને, ક્યારેક ભગવાનને આડકતરો ઈશારો કરીને, તો ક્યારેક મનોમન...
આખી વાર્તામાં મહાકાય મર્લિન માછલી એ ગૌરવ, પ્રતિષ્ઠા, શૌર્ય, કોઠાસૂઝ અને ધૈર્યનું પ્રતીક બની રહે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફ ગતિ કરતી આ નોબલ પુરસ્કાર વિજેતા કૃતિ અર્નેસ્ટ હેમિંગ્વેનું અવિસ્મરણીય સર્જન મનાય છે!
-------------
ધર્મેશ ગાંધી 23.7.19
-------------
અર્નેસ્ટ હેમિંગ્વેને 'નોબલ' પુરસ્કાર અપાવનાર પુસ્તક ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ માટેના મારા આલેખે મને પણ નાનકડો પુરસ્કાર અપાવ્યો એ આનંદ!
આ માટે આયોજક શ્રી Anupam Doshi; તથા Sayaji Vaibhav Libraryનાં ખૂણેથી આ પુસ્તક શોધી આપનાર બહેનશ્રી Preeti Paresh Soniનો ખૂબ ખૂબ આભાર.
--------------




No comments:
Post a Comment